લગ્ન મંડપમાં વરરાજાએ કન્યાની મંગમાં સિંદૂર પુર્યું, પછી અચાનક જ કંઈક એવું બન્યું કે વરરાજાનું મોત થઈ ગયું… જાણો એવું તો શું થયું હશે…

Published on: 6:13 pm, Wed, 10 May 23

દરેક લોકોના જીવનમાં ઘણી વખતે એવી ઘટનાઓ બનતી હોય છે જે હંમેશા બન્યા પછી બધા જ લોકોને તેનું ઘણું મોટું દુઃખ પણ લાગતું હોય છે. આજે આપણે એક એવી જ ઘટના વિશે જાણીએ જેમાં લગ્ન મંડપમાં કન્યાને સિંદૂર પૂર્યા પછી તરત જ વરાજાની તબિયત લથડી અને લગ્ન મંડપમાં જ તેણે જીવ છોડ્યો હતો.

આ ઘટના બિહારના ભાગલપુરમાં બની હતી, આ કિસ્સો મૂળ ભાગલપુર ના છોટી ખંજરપુરમાં રહેતા મુકુંદ મોહન ઝાના દીકરા વિનીત પ્રકાશ ના લગ્ન હતા. તેમના લગ્ન ઝારખંડના ચાઈબાસાનામાં રહેતા જન્મ જય ઝાની દીકરી આયુષી સાથે નક્કી થયા હતા.

બંનેના લગ્નની તૈયારી પણ ખૂબ જ કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા બંનેના લગ્ન મોજાહિદ પૂરના શીતલા ચોકમાં નક્કી થયા હતા. બંનેના લગ્ન થઈ ગયા અને પછી વર કન્યા જ્યારે રૂમમાં બેઠા હતા ત્યારબાદ અચાનક વરરાજા ની તબિયત લથડી હતી.

તો તેમને તરત જ ત્યાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં લઈ ગયા પછી તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ વાત જાણીને કન્યાના અને તમામ સંબંધીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના પછી તમામ લોકો દુઃખી થયા હતા અને ખુશીના માહોલમાં આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

બધા જ લોકો ધુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને આ ઘટના બન્યા પછી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. આવી ઘટનાઓ ઘણી વખત બની જતી હોય છે જેમાં કેટલાય લોકો દુઃખી થતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્ન મંડપમાં વરરાજાએ કન્યાની મંગમાં સિંદૂર પુર્યું, પછી અચાનક જ કંઈક એવું બન્યું કે વરરાજાનું મોત થઈ ગયું… જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*