આ બહેનના ખોળે માં મોગલની કૃપાથી લગ્નના 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, પરિવાર દીકરાને લઈને મોગલધામ પહોંચ્યું ત્યારે મણીધર બાપુએ…

Published on: 1:13 pm, Sun, 19 June 22

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે તેમના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઇ જાય છે. સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે.જ્યારે કોઈ પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે.

માં મોગલ એ અત્યાર સુધી લાખો માઇભક્તો ને પરચો પણ બતાવ્યો છે. કહેવાય છે કે માં મોગલ નિ:સંતાન દંપતીના ઘરે પચાસ વર્ષે પણ દિકરા દીધા છે. એવામાં આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં એક દંપતીના લગ્નના 17 વર્ષ વીતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું હતું.

ઘણી જગ્યાએ બતાવ્યો છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હતો. તેવામાં આ દંપતીએ માં મોગલને યાદ કર્યા અને માં મોગલ પર વિશ્વાસ રાખીને સંતાન પ્રાપ્તિ માટે માં મોગલ ની માનતા રાખી હતી. કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

ત્યારે આ યુવકનો વિશ્વાસ ફર્યો અને લગ્નના 17 વર્ષ પછી માં મોગલની કૃપાથી યુવકના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો હતો. આ પરિવારમાં દીકરાના જન્મ થતાંની સાથે જ ખુશી વ્યાપી ગઇ હતી. 17 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને ખુશીથી એ યુવક માં મોગલ ને માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામએ આવી પહોંચ્યો.

અને આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલના ધામે મણીધર બાપુ પણ બિરાજમાન છે, ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે રાખેલો માં મોગલ પર વિશ્વાસ છે કે જેના થકી તમારી મનોકામના પૂર્ણ થઈ. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ કોઈ દાન-ભેટ ની જરૂર નથી.

માં મોગલ પર શ્રધ્ધા રાખવામાં આવે તો બધા જ ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. તે પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી. તેથી જ કહેવાય છે કે જ્યાંથી આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બહેનના ખોળે માં મોગલની કૃપાથી લગ્નના 17 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, પરિવાર દીકરાને લઈને મોગલધામ પહોંચ્યું ત્યારે મણીધર બાપુએ…"

Leave a comment

Your email address will not be published.


*