સુરતના રાંદેર વિસ્તારમાં માતાએ પોતાના દીકરા અને દીકરીને ગળાફાંસો આપીને પોતે સુસાઈડ કરી લીધું… હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

Published on: 10:51 am, Mon, 4 September 23

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બનેલી સામૂહિક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના બે બાળકોને ગળાફાંસો આપીને તેનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યા હતા. જેના કારણે પત્નીએ આ પગલું ભર્યું છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં બની હતી. અહીં રહેતી રીટાદેવી નામની મહિલાએ પોતાની 11 વર્ષની દીકરી અંશિતા અને પાંચ વર્ષના દીકરાને ઘરમાં ગળાફાંસો આપીને બંનેનો જીવ લઇ લીધો હતો.

મહિલાએ પાંચ વર્ષના બાળકને ગળેફાંસો આપી પોતે આપઘાત કરી લીધો

ત્યારબાદ રીટાદેવીએ પોતે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. રાંદેર માંથી સામુહિક સુસાઇડની ઘટના સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલા અને તેના બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

મહિલા અને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો અને સુસાઇડનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, રાજેન્દ્રકુમાર પ્રસાદ નામના વ્યક્તિ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેન્દ્ર પ્રસાદ કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેની દુકાન પર મુન્ના પ્રસાધન નામનો એક યુવક કામ કરતો હતો.

આ દરમિયાન રીટા દેવી અને મુન્નો બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા. ત્યારબાદ રીટા દેવી એ પોતાના પતિ સાથે ડિવોર્સ લઈને મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી તો રીટા દેવી પોતાના બીજા પતિ મુન્ના સાથે નેપાળના કાઠમંડુમાં રહેતી હતી. ત્યારે એકાદ વર્ષ પહેલાં બંને સુરત કામકાજ માટે આવ્યા હતા. અહીં તેઓ સુરતના હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા હતા.

રીટાદેવીએ આવું પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પતિ સાથે અણબનાવ બનતા રીટા દેવી આ પગલું ભર્યું છે હાલમાં તો પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના રાંદેર વિસ્તારમાં માતાએ પોતાના દીકરા અને દીકરીને ગળાફાંસો આપીને પોતે સુસાઈડ કરી લીધું… હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*