સુરત શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષના યુવકે સાવ નાની એવી વાતમાં સુસાઇડ કરી લીધું છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની હતી. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પરિવારે નવો મોબાઈલ ન લઈ દીધો એટલે દીકરાએ સુસાઇડ કરી લીધું છે.
દીકરો નવો મોબાઈલ લેવા માટે પિતા પાસે જીદ કરતો હતો. જાણવા મળી રહ્યું છે કે, યુવકનો 10 દિવસ બાદ જન્મદિવસ હોવાના કારણે તેમ પોતાના પિતા પાસે મોબાઇલ માગતો હતો. પરંતુ હાલમાં પરિવારે ફોન લેવાની મનાઈ કરી હતી જેના કારણે યુવકે સુસાઇડ કર્યું હોવાની શક્યતા છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવ કુમાર શર્મા નામના વ્યક્તિને જીઆઇડીસી ખાતે આવેલી શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. સંજીવ કુમાર સચિન જીઆઇડીસી ખાતે લુમ્સના ખાતામાં કામ કરે છે.
સંજીવ કુમારના 19 વર્ષના દીકરા પારસનો દસ દિવસ બાદ જન્મદિવસ હતો. પારસનો જન્મદિવસ હોવાના કારણે તે પોતાના પિતા પાસે નવા મોબાઈલની માંગણી કરતો હતો. પારસ છેલ્લા ઘણા દિવસોથી પોતાના પિતા પાસે નવા મોબાઇલની જીદ લગાવીને બેઠો હતો.
પારસના પિતા સંજીવ કુમારે ઘરની પરિસ્થિતિ જોઈને પારસને નવો મોબાઈલ લેવા માટેની મનાઈ કરી હતી અને જન્મદિવસના દિવસે નવો મોબાઈલ લઈ દેવાનું જણાવ્યું હતું. પરંતુ તે પહેલા તો પારસે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ પારસના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "સુરતમાં 19 વર્ષના યુવકે સાવ નાની એવી વાતમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો યુવક સાથે એવું તો શું થયું હશે…"