રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, દીકરીના પિતાએ રડતાં-રડતાં કહ્યું કે “મેં ધ્યાન ન રાખવું”…

Published on: 1:29 pm, Sun, 15 May 22

આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળીને યુવતીએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ યુવતીના પિતાએ પોતાની વેદના ઠાલવી મીડિયા સામે રજૂઆત કરી હતી કે સુનિલ રોજ મારી દીકરીને પરેશાન કરતો હતો અને દબાણ આપતો હતો પરંતુ મારી દીકરી મને કહી ન શકી.

તેથી સુનિલ થી કંટાળીને મારી દીકરી અગાઉ પણ એક પરિવારે ઘર છોડ્યું હતું. સુનિલે અગાઉ પણ તેના મિત્રો પરિવાર ને મારવા આવ્યા હતા. અમારી દીકરીને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા અને ફોન દ્વારા દબાણ પણ આપ્યું હતું. ત્યારે દીકરી તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને માતા પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ.

પરંતુ ન ધ્યાન રાખ્યું એ મારી વ્હાલી દીકરીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે મને આ સમગ્ર ઘટનાને પગલે મને ન્યાય આપો. આ બનાવ અંગે વિસ્તૃતમાં જણાવીશ તો હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી એક યુવતીનું નામ દિપાલી ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈનેપોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીઆવી હતી અને તપાસ હાથ ધરી હતી.

ત્યારે કહેવામાં આવે તો આ સમયે દિપાલી ના માતા પિતા કોઈ પ્રસંગમાં ગયા હતા અને તે સમયે પરિણીત બહેન અને તેનો ભાઈ જ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઈનેપોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વાત કરીએ તો દિપાલી ને બે ભાઈ અને બે બહેન છે જેમાંથી તે બીજા નંબરની બહેન હતી.

દિપાલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમી ત્રાસ અપાતો હતો, ત્યારે માતા પિતાને ન કહેવાનું કહેતો હતો તેવું સુસાઇડ નોટમાં લખેલું મળી આવ્યું હતું. જેમાં યુવતીએ લખ્યું હતું કે મને આ પગલું ભરવા પાછળ મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. વધુમાં લખ્યું હતું કે મારા માતા-પિતાને પણ તે ન કહેવાનું કહેતો હતો અને મારી સાથે માથાફૂટ પણ કરી હતો ‘સોરી પપ્પા’.

આરોપી યુવકની વાત કરીએ તો એક દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા ત્યારે મૃતક નો મોબાઇલ કબજે લીધો અને મૃતકના પિતાની ફરિયાદના આધારે યુવક સામે ગુનો નોંધ્યો હતો અને આ બનાવ અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે દિપાલી અને સુનીલ બંને પ્રેમ સંબંધમાં હતા.

ત્યારબાદ સુનીલનું સગપણ પાટણમાં નક્કી થવાથી સંબંધનો અંત આવ્યો હતો છતાં સુનીલને ફોન કરી પરેશાન કરતો હતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી દિપાલીએ કંટાળીને સુસાઇડ નોટ લખી ને પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આરોપી વિરુદ્ધ દિપાલી ના પિતાએ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ નોંધાતા કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ દિપાલી ને જલ્દીથી ન્યાય મળે તે માટે તેના પિતાએ માંગ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, દીકરીના પિતાએ રડતાં-રડતાં કહ્યું કે “મેં ધ્યાન ન રાખવું”…"

Leave a comment

Your email address will not be published.


*