રાજકોટમાં સામાન્ય માથાકૂટમાં જીમમાંથી ઘરે જતા યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, આરોપીએ 19 વખત… જાણો સમગ્ર ઘટના…

Published on: 3:03 pm, Sun, 16 July 23

રાજકોટમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. રાજકોટના ઉપલેટામાં એક યુવક ઉપર 19 વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા યુવકનું નામ આશિષ નથાભાઈ ભાદરકા હતું. આશિષને ચાર દિવસ પહેલા નક્ષત્ર કોમ્પ્લેક્સ નજીક હિતેશ નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટનો ખાર રાખીને હિતેશે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દીકરો આશિષ છેલ્લા બે વર્ષથી નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલ બોડી ફિટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાની આસપાસ તે જીમમાં જવા માટે ઘરેથી નીકળ્યો હતો.

આશિષ જીમમાં ગયો ત્યારબાદ હું ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા માટે ગયો હતો. સાંજના આઠેક વાગ્યાની આસપાસ હું ઘરે આવ્યો હતો. ત્યારે અમારી જ્ઞાતિના ભાવેશભાઈ નો ફોન આવ્યો હતો. ભાવેશભાઈ એ ફોનમાં જણાવ્યું હતું કે આશિષને ઉપલેટા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે. એટલે હું તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો.

ત્યાં ભાવેશભાઈ ઉપરાંત અમારા સમાજના ઘણા બધા લોકો ઉભા હતા. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ મને જણાવ્યું કે, સાંજના આઠેક વાગ્યાની આસપાસ આશિષ જીમમાંથી કસરત કરીને બહાર જઈ રહ્યો હતો. ત્યારે જીમની સીડીના ફર્સ્ટ ફ્લોરની ચોકડી પર જીમમાં આવતા વિનય ઉર્ફે હિતેશ નામના વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે આશિષ ઉપર પ્રહાર કર્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં આશિષના છાતીના ભાગે 3 વખત અને પેટના ભાગે 16 વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આશિષ ગંભીર રીતે થયો હતો. પછી ત્યાં હાજર લોકો આશિષને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટર હાજર ન હતા. પછી એમ્બ્યુલન્સની મદદથી આશિષને બીજા દવાખાને લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે આશિષની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં આશિષ ના પિતાએ જણાવ્યું કે પરમ દિવસે આશિષના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. આ અંગે મેં તેને પૂછ્યું ત્યારે તેને કહ્યું હતું કે હિતેશ સાથે માથાકૂટ થાય છે. પછી મેં આશિષને કોઈની સાથે માથાકૂટ ન કરવાની સલાહ આપી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આશિષ અને વિનય વચ્ચે ચારેક દિવસ પહેલા કોલેજમાં માથાકૂટ થઇ હતી. બસ આ વાતનો ખાર રાખીને હિતેશે આશિષ નો જીવ લઇ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં સામાન્ય માથાકૂટમાં જીમમાંથી ઘરે જતા યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, આરોપીએ 19 વખત… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*