નવસારીમાં સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડામાં દીકરાએ પોતાની માતાનો જીવ લઈ લીધો… માતાને એવું દર્દનાક મોત આપ્યો કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 12:53 pm, Thu, 15 June 23

Navsari, Son killed mother: નવસારીમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. નવસારીમાં(Navsari) એક વિચિત્ર પ્રકારની જીવ લેવાની ઘટના બની છે. આ ઘટનામાં એક શબ્દ આ દીકરાએ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી છે. માં-દીકરાના સંબંધને શર્મસાર કરતો બનાવ સાંભળીને પોલીસ પણ ચોકી ગઈ છે. મળતી માહિતી અનુસાર નરાધમ દીકરાએ સૌપ્રથમ પોતાની માતાના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા, પરંતુ માતાનું મોત ન થયું તો દીકરાએ ગળું દબાવીને માતાનો જીવ લઈ(Son killed mother) લીધો અને અને પછી નરાધમ દીકરાએ માતાના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

હત્યારા પુત્રએ આ જગ્યાએ માતાના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ બહેનના કારણે આરોપીને પુરાવા નાશ કરવામાં સફળતા ન મળી હતી. આરોપીએ સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડાના કારણે પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બીલીમોરાના ઓરીયા મોરિયા વિસ્તારમાં આવેલી પદ્માશાલી કોપરેટીવ સોસાયટીમાં રહેતા 31 વર્ષનો પ્રિયાંક રણછોડભાઈ ટંડેલને તેની માતા સુમિત્રા સાથે બોલાચાલી થઈ ગઈ હતી.

બોલાચાલીમાં ગુસ્સામાં આવેલા પ્રિયાંકે સવારના 09:00 વાગ્યાની આસપાસ પોતાની માતાના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. પરંતુ માતાનું મોત ન થયું તો આરોપીએ ગળું દબાવીને પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. ત્યાર પછી હેવાને પોતાની માતાનો મૃતદેહ સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાને લઈને બહેને પોતાના જ સગાભાઈ વિરુદ્ધ માતાનો જીવ લેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તે, તેનો ભાઈ છેલ્લા લાંબા સમયથી અસ્થિર મગજનો છે, જેને લઈને તે દવા પણ લેતો હતો. દવા બંધ કરે તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠતો હતો.

પ્રિયાંક કોલેજમાં હતો અને તે કેટલાક વિષયમાં નપાસ થયો હતો. ત્યારથી જ તે હતાશ બની ગયો હતો અને પછી તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. માનસિક સ્થિતિ બગડતા જ તે પોતાની માતા અને બહેન ઉપર પણ હાથ ઉપાડતો હતો. પરિવાર પણ તેની માનસિક સ્થિતિ જોઈને બધું સહન કરી લેતી હતી. ઘટનાના દિવસે મા અને દીકરો ઘરે એકલા હતા. ત્યારે કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

બોલા ચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા દીકરાએ પોતાની માતાનો જીવ લઈ લીધો. ત્યારબાદ દીકરો પોતાની માતાના મૃતદેહને ઘરની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં લઈ જઈને તેના ઉપર લાકડાના પાટીયા, પેપર તેમજ ઘાસ નાખીને સળગાવવાનો પ્રયત્ન કરતો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપી દીકરાની ધરપકડ પણ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નવસારીમાં સાવ નાની એવી વાતમાં થયેલા ઝઘડામાં દીકરાએ પોતાની માતાનો જીવ લઈ લીધો… માતાને એવું દર્દનાક મોત આપ્યો કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*