અમદાવાદમાં પતિએ ઊંઘતી પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી પોતાના બે બાળકોને લઈને… બાપે 2 બાળકોને માં વગરના કરી નાખ્યા…

Published on: 12:09 pm, Mon, 26 December 22

અમદાવાદ શહેરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નરોલી વિસ્તારમાં 24 ડિસેમ્બરના રોજ સવારે આકૃતિ ટાઉનશિપ નામના એચ બ્લોકમાંથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે આવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ રીન્કુ ઉર્ફે રિયા ભારદ્વાજ હતું.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ઘરમાં મૃત્યુ પામેલી મહિલા સિવાય બીજું કોઈ મળ્યું ન હતું. જેના કારણે પોલીસનો સૌથી શંકા મહિલાના પતિ અજય પર ગઈ હતી. જેથી પોલીસે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે મહિલાના પતિને યુપી જતી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન તેના બે બાળકો પણ તેની સાથે હતા.

અજયની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં અજયએ જણાવ્યું કે, 9 વર્ષ પહેલા અજય તેની જ થઈની દીકરી રીન્કુ સાથે લવમેરેજ કર્યા હતા. બંને ભાગીને લગ્ન કર્યા હતા અને અમદાવાદ રહેવા માટે આવી ગયા હતા. તેઓ અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા.

સંતાનમાં તેમને બે બાળકો પણ છે. અજયની પત્ની રીન્કુને લગ્ન બાદ પેટની કોઈ બીમારી હોવાના કારણે તે પીપળાજનના કોઈ મહંત પાસે ઈલાજ કરાવતી હતી. આ દરમિયાન જઈને રીન્કુના અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ હતી. તેને પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરીને ઘટનાના 5 દિવસ પહેલા પોતાની પત્નીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

23 ડિસેમ્બરના રોજ રાત્રે જમ્યા બાદ બધા સૂઈ ગયા હતા, ત્યારે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ અજય ઊંઘમાં સુઈ રહેલી પોતાની પત્ની રીન્કુનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. આરોપી અજયે અગાઉથી જ ગોરખપુર જવા માટેની ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી.

ત્નીનો જીવ લીધા બાદ અજય ઘર બંધ કરીને પોતાના બે બાળકો સાથે ટ્રેનમાં બેસીને પોતાના વતન તરફ જવા માટે રવાના થઈ ગયો હતો. સવારે આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. ત્યાર પછીના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી અજયની ટ્રેનમાંથી ઝડપે પાડ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં પતિએ ઊંઘતી પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી પોતાના બે બાળકોને લઈને… બાપે 2 બાળકોને માં વગરના કરી નાખ્યા…"

Leave a comment

Your email address will not be published.


*