હું તમને વચન આપું છું કે હું તમારા ભાઈ તરીકે તમારા પરિવારની જવાબદારી લઈશ : અરવિંદ કેજરીવાલ

Published on: 12:02 pm, Thu, 17 November 22

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દિવસ રાત મહેનત કરે છે અને મહિલાઓ માટે યુવાનો માટે ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે આવું આમ આદમી પાર્ટીના નેતાઓ નિવેદન આપી રહ્યા છે

અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે તેવું પણ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે અને ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલ એ વલસાડમાં રોડ શોમાં ભાગ લીધો હતો.અરવિંદ કેજરીવાલ કહ્યું કે તમારા બાળકો માટે શાનદાર

સરકારી શાળા બનાવીશ અને દિલ્હીમાં મેં એટલી શાનદાર સરકારી શાળા બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાં પણ બાળકો પોતાના નામ કાઢીને સરકારી શાળાઓમાં એડમિશન લઈ રહ્યા છે અને દિલ્હીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબ અને અમીરનો બાળકો સાથે અભ્યાસ કરે છે અને દિલ્હીમાં આઈએસ અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને

અભ્યાસ કરે છે અને તમામ બાળકો માટે પુસ્તક યુનિફોર્મ અને અભ્યાસનો તમામ ખર્ચ સાવ મફતમાં છે અને દિલ્હી સરકારની મદદ ના કારણે રીક્ષા ચાલકનો બાળક પણ એન્જિનિયર બની રહ્યો છે મજૂરના બાળક પણ ડોક્ટર બની રહ્યા છે અને ગુજરાત માટે અમે શાનદાર પ્લાનિંગ કરી રહ્યા છે અને હું તમારા બાળકોનું સારું ભવિષ્ય આપીશ અને શાળા બનાવીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હું તમને વચન આપું છું કે હું તમારા ભાઈ તરીકે તમારા પરિવારની જવાબદારી લઈશ : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*