સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો – જાણો શા માટે આ પગલું ભર્યું…

Published on: 10:24 am, Wed, 4 May 22

સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં એક વ્યક્તિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પતિએ સૌપ્રથમ પોતાના દીકરા અને દીકરીને નાસ્તો લેવા માટે બહાર મોકલ્યા અને ત્યાર બાદ પાછળથી પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી મુજબ પત્નીનો જીવ લીધા બાદ પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર હંસાબેન ઝાલાના લગ્ન 22 વર્ષ પહેલા સુરભાઈ ઝાલા નામના યુવક સાથે થયા હતા.

લગ્ન જીવન દરમિયાન પતિ-પત્નીને દીકરો અને દીકરી હતા. મળતી માહિતી અનુસાર લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હોવાના કારણે પત્ની છેલ્લા ચાર વર્ષથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર પતિ પોતાની પત્નીને મળવા આવતો અને ત્યારબાદ ત્યાંથી જતો રહેતો હતો.

મળતી માહિતી અનુસાર અંદાજે છેલ્લા 20 દિવસથી સુરભા નશો કરીને ઘરે આવતા અને પોતાની પત્ની હંસાબેન સાથે માથાકૂટ કરતા હતા. ત્યારે ગઇકાલે સુરભા પોતાની પત્નીનો જીવ લેવાના ઈરાદે તેના ઘરે પહોંચ્યા હતા. સુરભાએ પોતાના દીકરા અને દીકરીને નાસ્તો લેવા માટે પૈસા આપ્યા અને ઘરની બહાર મોકલી દીધા હતા.

ત્યારબાદ સુરભાની પત્ની ઘરે એકલી હતી. એકલતાનો લાભ ઉઠાવીને સુરભાઈ પોતાની પત્નીના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો. અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જ્યારે બાળકો ઘરે આવ્યા ત્યારે પોતાના માતાના મૃતદેહને જોઇને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આરોપી પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો – જાણો શા માટે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*