નિખિલ સવાણી ના AAPમાં જોડાવા ને લઈને હાર્દિક પટેલ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે…

Published on: 9:44 pm, Wed, 21 July 21

ગુજરાતમાં રાજકીય પક્ષોની વાત કરીએ તો કોંગ્રેસ નું વર્ચસ્વ ધીમેધીમે ઘટી રહ્યું છે અને આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ બનાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આ કાર્યક્રમને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ ની મુલાકાતે ગયા હતા.

હાર્દિક પટેલે રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા મેમ્બરશીપ અભિયાન શરૂ કરાયું છે.

આ અભિયાન 20 જુલાઈ થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉપરાંત હાર્દિક પટેલે યુથ કોંગ્રેસને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે યુથ કોંગ્રેસની મજબૂત બની રહી છે. આ ઉપરાંત કોંગ્રેસના યુવાનોને હંમેશા આગળ લાવવા માટે પ્રયાસો કરતા રહીશું.

તેમજ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને નિખીલ સવાણીએ લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું કે, મોદી સરકારની જેમ અમે કોઈને પોતાના હાથ હેઠળ અને દબાવીને નથી રાખી શકતા, નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં ગયા છે.

તેનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈપણ પ્રકારનો ફરક પડશે નહીં. તેમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. બ્રાન તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પર આમ આદમી પાર્ટીની નજર છે તેમજ હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ કરતા તો ભાજપના વધુ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ભાજપની B ટીમ છે. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં નારાજ મતદારો વિરોધ પક્ષ કોંગ્રેસ માં ન જાય એટલા માટે આમ આદમી પાર્ટી ને ઉભી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીને મળે અને કોંગ્રેસ પાર્ટી સત્તા ન આવે એ ભાજપનો ખૂબ જ મોટું ષડયંત્ર છે. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે.

અને તેનો મને વિશ્વાસ છે. આ ઉપરાંત તેમને કહ્યું કે 2015માં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતા અને અત્યારે તમામ સમાજ ભાજપથી નારાજ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "નિખિલ સવાણી ના AAPમાં જોડાવા ને લઈને હાર્દિક પટેલ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*