સોનલ માં અને ચારણ સમાજનું અપમાન કરનાર વ્યક્તિને લઈને હકાભા ગઢવીએ આપ્યું નિવેદન, કહ્યું કે “હું જીવીશ ત્યાં સુધી…”

Published on: 9:55 am, Sat, 17 February 24

મિત્રો હાલમાં તો ગુજરાતમાં એક મહાવિવાદ ચાલી રહ્યો છે. કારણકે કારણ કે આહીર સમાજના એક અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને માતાજી સોનલ વિષય જાહેર મંચ પર અશોભનીય ટિપ્પણી કરી છે.

તેમને આપેલા નિવેદન નો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમના આ નિવેદનનો ખૂબ જ વિરોધ પણ થઈ રહ્યો છે અને ચારણ અને ગઢવી સમાજના કલાકારો અને અગ્રણીઓ આ વિવાદને લઈને પોતાનું નિવેદન આપી રહ્યા છે.

ત્યારે આ વીડિયોને લઈને હકાભા ગઢવીએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, હું આ મામલાને લઈને સમગ્ર સમાજને દોષ ન આપી શકું, પરંતુ કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાનને સમજાયું નહીં કે આ વ્યક્તિને આવું બોલતા રોકાય.

વધુમાં હકાભા ગઢવીએ કહ્યું કે, હું ગઢવી સમાજના તમામ કલાકારોને કહેવા માંગુ છું કે, જે સમાજના વખાણ કર્યા તેના કરાય બીજાના ન કરાય. કેમ કે જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે.

વધુમાં હકાભા ગઢવી એ કહ્યું કે, હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તળાજા નું પાણી નહીં પીવું અને તળાજામાં એક પણ પ્રોગ્રામ પણ નહીં કરું. આ ઉપરાંત હકાભા ગઢવી આ મુદ્દાને લઈને બીજી ઘણી બધી વાતો પણ કરે છે. એ તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનલ માં અને ચારણ સમાજનું અપમાન કરનાર વ્યક્તિને લઈને હકાભા ગઢવીએ આપ્યું નિવેદન, કહ્યું કે “હું જીવીશ ત્યાં સુધી…”"

Leave a comment

Your email address will not be published.


*