આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ : અરવિંદ કેજરીવાલ

Published on: 11:38 am, Mon, 21 November 22

મિત્રો વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રચારમાં ખૂબ જ જોર સોર થી કામ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં પરિવર્તનની હવા વહી રહી છે અને તે લોકો કહી રહ્યા છે કે અમે અવારનવાર યાત્રા ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન કેમ્પિયન અને પદયાત્રા અને રોડ સો જેવા

કાર્યક્રમોનું આયોજન કરીને જનતા વચ્ચે જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખૂબ મહેનત કરી રહ્યા છે અને તેઓ પણ મોટા મોટા રોડ શો કરી રહ્યા છે અને તેઓએ પંચમહાલના હાલોલમાં રોડ શો કર્યો હતો.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શોમાં હાજર તમામ લોકોને સંબોધિત કરતા કહ્યું કે મને ગુજરાતના લોકોનો પ્રેમ મળી રહ્યો છે

અને હું તમારા બધાનું ભાઈ છું અને તમારા પરિવારનો ભાગ છું તમે બધાને હું ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ અને આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાના પરિવારનું આર્થિક ગુજરાન નથી ચલાવી શકતા અને અમારી સરકાર બનશે તો માર્ચ મહિનાથી તમારું વીજળીનું બિલ હું 0 કરી દઈશ અને તમારી સેવામાં તમને આપેલી તમામ ગેરંટીઓ પૂર્ણ કરવામાં લાગી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*