ગુજરાતીઓને મોંઘી વીજળીથી રાહત અપાવવાના AAPના આંદોલનને વધતું જતું જન સમર્થન…

Published on: 9:57 am, Tue, 21 June 22

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી છે. ત્યારે જનતાને ફ્રી વીજળી મળે તે માટે આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી વીજળી આંદોલન દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ વીજળી આંદોલનને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહી છે. ગુજરાતની જનતામાં જાગૃતિ લાવવા માટે આમ આદમી પાર્ટી  ઠેર-ઠેર પદયાત્રા, સાયકલ યાત્રા અને મશાલ યાત્રા કાઢી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા ફ્રી વીજળી આંદોલન હેઠ અમદાવાદ શહેરના નારણપુરા, ન્યુ રાણીપ તથા સાબરમતી, સુરત શહેરના ઓલપાડ તથા કરંજ, વડોદરા શહેરના રાઉપુરા તથા અકોટા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને રાજકોટમાં પદયાત્રા, મશાલ યાત્રા અને સાયકલ યાત્રા કાઢવામાં આવી રહી છે. આ આંદોલનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા.

મફત વીજળીએ દેશની જનતાનો મૂળભૂત અધિકાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ભાજપના લોકો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ચૂંટણી આવે ત્યારે મફત વીજળીનું વચન આપે છે, પરંતુ ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 ભાજપની સરકાર હોવા છતાં પણ અહીંના લોકોને સૌથી મોંઘી વીજળી મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે.

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનની સફળતાથી ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. આજે આમ આદમી પાર્ટી સિવાય કોઈપણ પાર્ટી જનતા વચ્ચે જઈને તેમના મુદ્દાઓ વિશે ચર્ચા કરવા તૈયાર નથી, આ કારણોસર ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનું સમર્થન કરી રહી છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને શરૂઆતથી જ ખૂબ જ પ્રેમ આપ્યો છે.

આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે ભાજપ અને કોંગ્રેસને રડવાનો વારો આવી શકે છે. આવનારી ચૂંટણીના પરિણામોમાં આ ફ્રી વીજળી આંદોલનનો ખૂબ જ મહત્વ ભાગ હશે. જનતા મોંઘી વીજળી થી ખૂબ જ પરેશાન છે પરંતુ આવનારા થોડા સમયમાં જ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતીને જનતાને આ મોંઘી વીજળી થી છુટકારો આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતીઓને મોંઘી વીજળીથી રાહત અપાવવાના AAPના આંદોલનને વધતું જતું જન સમર્થન…"

Leave a comment

Your email address will not be published.


*