અતિવૃષ્ટિમાં તબાહ જિલ્લાઓ માટે સરકારે જાહેર કર્યું રાહત પેકેજ,ખેડૂતોને હેકટર દીઠ મળશે આટલા રૂપિયા

Published on: 10:41 am, Tue, 19 October 21

પુર અને અતિવૃષ્ટિના સર્વે બાદ રાજ્ય સરકારે જામનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર એમ ચાર જિલ્લાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજનો ઠરાવ ગુજરાતની એક ન્યુઝ ચેનલ પાસે આવ્યો છે. સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે.

રાજ્ય સરકારે એવો ઠરાવ કર્યો છે કે, અસરગ્રસ્ત ગામોને સહાય મળશે.રાજ્ય સરકાર એસડીઆરએફ અંતર્ગત સહાય આપશે. ૩૩ ટકાથી વધુ નુકસાની હશે તો હેક્ટર દીઠ 13હજાર ની સહાય આપવામાં આવશે.મહત્તમ બે હેકટર ની મર્યાદામાં સહાય મળશે.

પ્રતિ હેકટર 6800 રૂપિયા એસડીઆરએફ માંથી ચૂકવાશે.પ્રતિ હેકટર 6200 રૂપિયા રાજ્યના બજેટમાંથી ચૂકવાશે.સરકારના ઠરાવ મુજબ જામનગરના 320 ગામડા, રાજકોટના 165 ગામડા,જૂનાગઢના 135 ગામ અને પોરબંદરના 71 ગામડાઓને આ સહાયનો લાભ મળશે.

સરકાર તરફથી આ ચાર જિલ્લામાં પાક નુકસાની સાથે જમીન ધોવાણના સર્વેની પણ વાત થઈ હતી. પરંતુ ઠરાવોની અનુસાર જમીન ધોવાણ ના વળતર ના દર્શન થતાં નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અતિવૃષ્ટિમાં તબાહ જિલ્લાઓ માટે સરકારે જાહેર કર્યું રાહત પેકેજ,ખેડૂતોને હેકટર દીઠ મળશે આટલા રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*