ખાવા-પીવાના શોખીનો માટે સારા સમાચાર, રાજ્ય સરકારે હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનો ને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય

કોરોના ની કહેર વચ્ચે કેન્દ્ર સરકારની અનલૉક – 4 ની ગાઈડ લાઈન બાદ હવે હવે રાજ્ય સરકારે પણ ગાઇડ લાઈન બહાર પાડી છે. જે મુજબ રાજ્યમાં હોટલ રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. જયારે દુકાનોને સમયમર્યાદા દૂર કરીને 24 કલાક સુધી દુકાનો ખોલવાની રાજ્ય સરકારે પરમિશન આપી છે.રાજ્યમાં 7મી સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી છે. જેથી 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે.

સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે પણ ઓપન એર થિયેટર 21 મી સપ્ટેમ્બરથી ચાલુ કરી શકાશે. સ્થાનિક તંત્રએ યોગ્ય વ્યવસ્થા અને એસ ઓ પી ને અનુસરીને ફેરિયાઓને મંજૂરી આપશે. 60 ટકા સમતા સાથે લાઇબ્રેરી ચાલુ કરી શકાશે.

સુરત અને અમદાવાદ શહેરમાં 50 ટકા સમતા સાથે અને અન્ય શહેરોમાં 60 ટકા ક્ષમતા સાથે સીટી બસ ચાલુ કરી શકાશે. ટેક્સી અને કેબમાં ડ્રાઇવર ઉપરાંત બે મુસાફરોને બેસી શકાશે. જ્યારે ટુ વ્હીલ ઉપર બે વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. 24 માર્ચ થી બંધ રહેલા બાગ-બગીચાઓ હવે જાહેર જનતા માટે ચાલુ કરી દેવાશે પરંતુ આ બધી જ વસ્તુ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જ ચાલુ થઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*