ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો.

ગુજરાતમાં ચાર મહાનગરોમાં હાલ કોરોનાની મહામારી ના કારણે રાત્રી કરફ્યુ માં આંશિક રાહત મળી છે. સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે રાત્રિ કરફ્યુ હટાવી શકે તેવા સમાચાર વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

જો કે આ મહત્વ પૂર્ણ નિર્ણય માટે કોરોના ના ઘટતા જતા કેસ પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.જેના કારણે અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટમાં રાત્રી કરફ્યુ માંથી આંશિક છૂટકારો આપવામાં આવ્યો છે.

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ મુદ્દે બેઠકો બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યના મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલ માં જ રહેશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી.

જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ વિભાગના ASC પંકજકુમાર અને મુખ્ય મંત્રીના અંગત સચિવ મનોજ દાસ,DGP હાજર રહ્યા હતા.આ બેઠકમાં રાત્રી કર્ફ્યુ ને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

કે, અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે અને રાત્રી કર્ફ્યુ માં એક કલાકની રાહત આપવામાં આવી છે.સરકારના નિર્ણય મુજબ રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રે કર્ફ્યુ અમલ મા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*