અમદાવાદ શહેરમાં જાણો ક્યાં સુધી પાનના ગલ્લા અને ચાની લારીઓ બંધ રાખવાના અપાયો આદેશ ?

Published on: 3:34 pm, Sun, 11 April 21

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે અને રાજ્યમાં પણ સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ રોકવા માટે સંખ્યાબંધ પગલા લેવાઈ રહ્યા છે.

અને તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી પાન માં ગલ્લા અને ચાની લારીઓ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ પાનના ગલ્લા અને ચાની લારી દુકાનો બંધ કરવા આદેશ અપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સુચના બાદ પણ એકમ ચાલુ હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લા તથા ચાની લારી દુકાન સીલ કરી દેવામાં આવશે.

પાનના ગલ્લા ઉપર મુખ્ય ગલ્લા ધારક સંક્રમિત હશે તો અનેક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રકારની સંભાવનાઓ પણ રહેલ હોવાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાય છે કે સોમવાર સુધી પાનના ગલ્લા ઉપર ચેકીંગ કર્યા બાદ મૌખિક સુચના આપવામાં આવશે છતાં પણ ગલ્લા ખુલ્લા રાખવામાં આવશે તો ગલ્લા સિલ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ શહેરમાં જાણો ક્યાં સુધી પાનના ગલ્લા અને ચાની લારીઓ બંધ રાખવાના અપાયો આદેશ ?"

Leave a comment

Your email address will not be published.


*