લાખો રૂપિયાની દવા કરી નાખી, પરંતુ મહિલાની તબિયતમાં સુધારો આવતો ન હતો…આખરે મહિલાએ માં મોગલની માનતા રાખી

Published on: 4:26 pm, Thu, 18 April 24

તમે સૌ જાણો જ છો કે માં મોગલના પરચા અપરંપાર છે. મા મોગલ ના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જો માં મોગલ પર સાચા મનથી વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો માતાજી તમારા તમામ દુઃખ દૂર કરે છે. અત્યાર સુધીમાં માતાજી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.

એવા પણ દાખલા છે જેમાં માતાજી લોકોને 60 વર્ષે દીકરા પણ આપ્યા છે. માં મોગલ કોઈપણ પ્રકારના દાનની ભૂખી નથી પરંતુ માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂકી છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે વાત કરવાના છીએ.

એક મહિલા કબરાઉધામ 11 હજાર રૂપિયા લઈને પહોંચી હતી. મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને અહીં આવી હતી. ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ મહિલા ને સવાલ પૂછ્યો કે બેટા તારે શેની માનતા હતી.

ત્યારે મણીધર બાપુના પ્રશ્નનો જવાબ આપતા મહિલાએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી તેની તબિયત ખરાબ રહેતી હતી અને તેને ઘણી બધી દવાઓ બદલી નાખી પરંતુ તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવતો ન હતો.

છેવટે બધાથી કંટાળીને મહિલાએ માં મોગલની માનતા રાખી હતી અને કહ્યું હતું કે મારી તબિયત સારી થઈ જાય છે તો હું 11 હજાર રૂપિયા કબરાઉ ધામ આવીને ચડાવીશ. માનતા કર્યા બાદ મહિલાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અને ટૂંક સમયમાં મહિલા એકદમ તંદુરસ્ત થઈ ગઈ.

માનતા પૂરી થતાં જ મહિલા 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ આવી પહોંચી હતી. અહીં મહિલાએ માં મોગલ ના આશીર્વાદ લીધા અને મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. જ્યારે મહિલાએ મણીધર બાપુને 11000 રૂપિયા આપ્યા ત્યારે બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને તે પૈસા પાછા આપી દીધા અને મહિલાને કહ્યું કે માં મોગલ એ તારી માનતા 11 ગણી સ્વીકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લાખો રૂપિયાની દવા કરી નાખી, પરંતુ મહિલાની તબિયતમાં સુધારો આવતો ન હતો…આખરે મહિલાએ માં મોગલની માનતા રાખી"

Leave a comment

Your email address will not be published.


*