સુરતમાં બે બાળકોના પિતાનું હાર્ટ એટેકથી મોત થવાની આશંકાઓ… એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 3:47 pm, Fri, 1 September 23

સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સાંજે યુવકને તેની બહેને રાખડી બાંધવા માટે જગાડ્યો હતો. પરંતુ યુવક જાગ્યો નહીં એટલે પરિવારના સભ્યો દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરાને મૃત જાહેર કર્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પરિવારજનો દ્વારા હાર્ટ એટેકથી મોત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રના અમલનેરના વતની અને હાલમાં સુરત શહેરના લિંબાયતના શિવાજી નગરમાં રહેતા 35 વર્ષીય જીજાબ્રાવ જ્ઞાનેશ્વર સોનવણે નામનો યુવક રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. ગઈકાલે બપોરના સમયે યુવક ઘરમાં સૂતો હતો. આ દરમિયાન તેની બહેન તેને રાખડી બાંધવા ઘરે આવી હતી. ત્યારે યુવકની પત્નીએ તેને જગાડ્યો હતો. ત્યારે યુવકે નાહવા માટેનું ગરમ પાણી કરવાનું કહીને ફરીથી સુઈ ગયો હતો. ગરમ પાણી થઈ ગયા બાદ બહેને ભાઈને જગાડ્યો પરંતુ ભાઈ જાગતો ન હતો.

પછી પરિવારના સભ્યોને શંકા ગઈ અને જીજાબ્રાવને રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા લિંબાયત પોલીસ પોતાની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી.

યુવકના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ બે સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બે બાળકોના પિતાનું હાર્ટ એટેકથી મોત થવાની આશંકાઓ… એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*