વડોદરામાં ગરબા રમતી વખતે ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત… નવરાત્રીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…

Published on: 12:28 pm, Sat, 21 October 23

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સતત વધતે હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે વડોદરામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

અહીં સોસાયટીમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. ઘટના બનતા જ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં માતમ છવાઈ ગયો હતો.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શંકરભાઈ બચુભાઈ રાણા હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. શંકરભાઈ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં સંસ્કૃત એન્કલેવમાં રહેતા હતા. જ્યારે ગઈકાલે રાત્રે શંકરભાઈ સોસાયટીમાં ગરબા રમી રહ્યા હતા.

દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. પછી શંકરભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું કે શંકરભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નવરાત્રીના દિવસોમાં શંકરભાઈનું મોત થતા જ તેમના પરિવારજનો અને સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો. શંકરભાઈના મૃત્યુના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં ગરબા રમતી વખતે ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત… નવરાત્રીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*