ગુજરાતના આજે પણ કોરોના ના કેસ માં થયો ઘટાડો, આજે કુલ આટલા કેસ નોંધાયા અને આટલા લોકોના મૃત્યુ થયા.

Published on: 9:27 pm, Sat, 26 June 21

ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે કારણ કે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના ના કેસો ઘટી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના નવા 122 કેસો નોંધાયા છે. ઉપરાંત કોરોના ના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે અને રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડા સાથે સાજા થનાર નો આંકડો પણ વધ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10048 લોકો મૃત્યુ પામ્યા છે. ગઈ કાલ કરતા આજે કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત આજે રાજ્યમાં 352 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

હાલમાં 23 લોકોએ ટ્વિટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 3883 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોના થી મુક્ત થનાર દર્દીની સંખ્યા 809201 પહોંચી છે.

આજે રાજ્યમાં 377439 લોકો ની રસી આપવામાં આવી છે. આની સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 24638142 લોકોનું રસીકરણ થઈ ગયું છે.

આજે અમદાવાદ શહેરમાં કોરોના નવા 19 કેસો નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ કેસ નથી. સુરત શહેરમાં કોરોના નવા 14 કેસ અને ગામની વિસ્તારમાં 10 કેસ નોંધાયા છે.

વડોદરામાં આજે કોરોના ના નવા 11 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાયા છે. તેમજ રાજકોટ શહેરમાં કોરાના નવા 7 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના આજે પણ કોરોના ના કેસ માં થયો ઘટાડો, આજે કુલ આટલા કેસ નોંધાયા અને આટલા લોકોના મૃત્યુ થયા."

Leave a comment

Your email address will not be published.


*