‘અગ્નિપથ’ યોજનાના કારણે, સેનામાં જવાની તૈયારી કરી રહેલા 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણું સમગ્ર ઘટના…

Published on: 4:08 pm, Wed, 22 June 22

સમગ્ર દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે 19 વર્ષના યુવકે અગ્નિપથ યોજનાના કારણે મંગળવારના રોજ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોનું કહેવું છે કે, તે સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ નવી પોલિસીની જાહેરાત બાદ તે ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યો હતો.

આ કારણોસર તેની ડિપ્રેશનમાં આવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટના ઝુનઝુનુના ચિરાવા શહેરમાં બની હતી. અહીં સ્ટેશન રોડ પર રહેતા 19 વર્ષીય અંકિત નામના યુવકે પોતાની બહેન પૂનમના ઘરે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને અંકિતના પરિવારજનોએ જણાવ્યું કે, અંકિત સોમવારના રોજ તેની બહેન પૂનમના ઘરે ગયો હતો.

અંકિતની બહેન પૂનમ સરકારી શાળામાં એલદીસી તરીકે કામ કરે છે. મંગળવારના રોજ શાળામાં યોગા નો કાર્યક્રમ હોવાથી પૂનમ શાળાએ ચાલી ગઇ હતી. ત્યારે સવારે આઠ વાગ્યાની આસપાસ અંકિત રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પૂનમ જયારે ઘરે પહોંચી ત્યારે તેને ઘરમાં ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્ય જોઈને તે ઘટના સ્થળે જ બેભાન થઇ ગઈ હતી. મળતી માહિતી અનુસાર 14મી મેના રોજ રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ માટે અંકિત પરીક્ષા દેવા માટે ગયો હતો. પરંતુ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

તેના કારણે અંકિત ભારે ચિંતામાં આવી ગયો હતો. ત્યારબાદ તેને શેના માટે અરજી કરી અને સેનાની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ સેનાની ભરતીની નવી પોલિસીના કારણે અંકિત ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનમાં આવીને અંકિતે આ પગલું ભરી લીધું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે અંકિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘અગ્નિપથ’ યોજનાના કારણે, સેનામાં જવાની તૈયારી કરી રહેલા 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણું સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*