નિર્દયતાની બધી હદો વટાવી દીધી..! નવસારીમાં સગા મા-બાપે પોતાના બે મહિનાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 8:40 pm, Wed, 15 February 23

નવસારીમાં બનેલી ઘટનાએ નિર્દયતાની બધી હદ હટાવી દીધી છે. આ ઘટનામાં સદા માં-બાપે બે મહિનાના માસુમ દીકરાનો જીવ લીધો છે. માસુમ બાળકોનો જીવ લેવાનું કારણ જાણીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પ્રેમમાં અંધ બનેલા પરીણિત પ્રેમીપંખીડાએ પોતાનું પાપ છુપાવવા માટે બે મહિનાના બાળકનો જીવ લીધો હતો. બાળકનો જીવ લઈને પોલીસથી બચવા માટે કંઈક એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી.

લગભગ એક મહિના બાદ પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી અનુસાર 14 જાન્યુઆરીના રોજ વાસદાના જુજ ડેમના કોચમેટ પરથી પોલીસને ગુટકના થેલામાં બે મહિનાના માસુમ બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તાર હોવાના કારણે ત્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ન હતા. જેથી પોલીસને ત્યારે કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા ન હતા.

આ કારણસર પોલીસને આ ઘટનાનો ભેદ ઉકેલો ખૂબ જ પડકારજનક હતો. લગભગ એક મહિના બાદ પોલીસે આ ઘટનાના બે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપી બીજા કોઈ નહીં પરંતુ બાળકના માં બાપ જ છે. બંને પરિણિત પ્રેમી પંખીડા છે.સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા ત્રણ બાળકોના પિતાનું નામ વિનોદ છે અને તેની ઉંમર 34 વર્ષની છે.

જેના ગામમાં ધરમપુર તાલુકાના આસુર ગામની સુલોચના નામની પરીણીત મહિલાનું મામાનું ઘર થાય એટલે સુલોચના અવારનવાર ત્યાં આવતી હતી. આ દરમિયાન વિનોદ અને સુલોચનાની આંખો મળી ગઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. સુલોચના પોતાના પતિ સાથે ન રહેતી હતી તે પોતાના નવ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી. જેથી કોઈ પણ પ્રકારની રોકટોક ન હોવાથી બંને પ્રેમી પંખીડાઓને છૂટ મળી ગઈ હતી. આમ બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે.

આ દરમિયાન બંનેના પ્રેમ સંબંધમાં સુલોચના ગર્ભવતી થઈ ગઈ હતી. કોઈને આ વાતનો શક ન જાય તે માટે સુલોચના સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામ ખાતે રહેવા જતી રહી હતી. 19 નવેમ્બર ના રોજ સુલોચનાએ સુરતની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. પરિવારના સભ્યોને કાંઈ ખબર ન પડે તે રીતે પ્રેમી પંખીડાઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. બંને પોતાના બાળકનું નામ પૂર્વાંશ રાખ્યું હતું.

ત્યારબાદ બંનેએ વિચાર્યું કે બાળક વિશે સમાજ કે પરિવારને ખબર પડશે તો બદનામી થશે હવે શું કરીશું? ત્યારબાદ બંને મળીને પૂર્વાંશનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો અને એક તારીખ નક્કી કરી. પ્લાનના આધારે આરોપી પિતા વિનોદ વાસદ થી એક ગુટાનો ઠેલો ખરીદ્યો હતો. ત્યારબાદ તેમાં પૂર્વાંશ ને પેક કરી દીધો હતો. સાથે થેલાની અંદર કેટલાક રમકડા પણ મૂક્યા હતા.

ત્યારબાદ જુજ ડેમના કેચમેટમાં જઈ જ્યાં સુધી પૂર્વ અંશનો શ્વાસ ન રૂંધાય જાય ત્યાં સુધી તેના મોઢા ઉપર હાથ રાખીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ થેલા સાથે એક મોટો પથ્થર બાંધીને થેલો ડેમમાં ફેંકી દીધો હતો. બે દિવસ બાદ એટલે કે 14 જાન્યુઆરીના રોજ પથ્થરથી થેલો અલગ પડતા બાળકનું મૃતદેહ બહાર આવ્યું હતું.

ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે આસપાસ કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ન હતા જેના કારણે પોલીસને આ ઘટનામાં તપાસ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. પોલીસે ધીમે ધીમે આ સમગ્ર ઘટનાને લઈને પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું.

પછી તો પોલીસે વિનોદ ને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો ત્યારબાદ પોલીસે સુલોચનાની પણ ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર આરોપી વિનોદ ત્રણ બાળકોનો પિતા છે. જ્યારે આરોપી સુલોચના એક બાળકની માતા છે. મને મળીને પોતાનું પાપ છુપાવવા માટે આ પ્રકારનો માસ્ટર પ્લાન્ટ બનાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નિર્દયતાની બધી હદો વટાવી દીધી..! નવસારીમાં સગા મા-બાપે પોતાના બે મહિનાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*