પાલનપુરમાં પ્રેમપ્રકરણમાં કોલેજમાં ભણતા આર્યન મોદીનો જીવ લેવામાં આવ્યો, આરોપીઓએ સૌપ્રથમ તેનું અપહરણ કર્યું અને પછી… સમગ્ર મોદી સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 4:02 pm, Fri, 17 February 23

ગુજરાત રાજ્યમાં દિવસે અને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પાલનપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પ્રેમપ્રકરણના કારણે એક કોલેજીયન વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીનું અપહરણ કરનાર અને તેનો જીવ લેનાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ચાર ટીમ અલગ અલગ દિશામાં કામ પર લાગી ગઈ છે.

આ ઘટના બનતા જ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પાલનપુરની આદર્શ સંકુલમાં અભ્યાસ કરતો આર્યન મોદી નામનો યુવક કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. પ્રેમ સંબંધ ના મામલે ગઈકાલે કેટલાક લોકોએ ભેગા મળીને કારમાં આર્યન મોદીનું અપહરણ કર્યું હતું.

ત્યારબાદ અજાણી જગ્યા પર લઈ જઈને આર્યન મોદીની મન ફાવે તેમ ધુલાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ત્યાંથી છોડી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં ગમે તેમ કરીને આર્યન પોતાના ઘરે પહોંચ્યો હતો ત્યાર પછી તેને પરિવારના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આર્યનનું અપહરણ કરનાર આરોપીઓએ તેને દવા પણ પીવડાવી દીધી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ બનાસકાંઠા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. બનાસકાંઠા પોલીસે અપહરણ કરનાર અને આર્યનનો જીવ લેનાર આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આર્યનના મૃત્યુના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આટલો જ નહીં પરંતુ અન્ય સમાજના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોદી સમાજના લોકો દ્વારા પોલીસ નાયકી તપાસ કરી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડે તેવી માંગ કરવામાં આવી રહે છે.

હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા દિવસોમાં આર્યન મોદીનો જીવ લેનાર આરોપીઓને પકડે છે. આરોપીઓ પકડાયા બાદ આર્યનના જીવ લેવાનું સાચું કારણ જાણવા મળશે. આ ઉપરાંત આર્યનનો જીવ કઈ જગ્યા ઉપર લેવામાં આવ્યો તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાલનપુરમાં પ્રેમપ્રકરણમાં કોલેજમાં ભણતા આર્યન મોદીનો જીવ લેવામાં આવ્યો, આરોપીઓએ સૌપ્રથમ તેનું અપહરણ કર્યું અને પછી… સમગ્ર મોદી સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*