મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીનો તોડ્યા આ ત્રણ મોટા ભરોસા,જાણો વિગતવાર

Published on: 9:30 pm, Tue, 13 October 20

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવેલા તો હું સપના હજી મુખ્યમંત્રીએ પુરા કર્યા નથી. આ સપના ક્યારે પૂર્ણ થશે તેની કોઈ સરકારી ગેરંટી નથી, કેમકે આ દિશામાં હજુ સુધી સરકારે કોઈ કામ હાથ પર લીધું નથી. આ ત્રણ પ્રોજેક્ટ માં મેટ્રો રેલ, સાબરમતી રિવરફ્રન્ટ અને પંચામૃત ભવન નું બાંધકામ આવે છે.મોદીએ તેમના કાર્યકાળમાં ખૂબ જ ટૂંકા સમયમાં ત્રણ પ્રોજેક્ટ પૂરા કર્યા છે જેમાં પહેલો પ્રોજેક્ટ મહાત્મા મંદિરનું હતો.

પ્રથમ તબક્કો તેમણે 182 દિવસમાં પૂર્ણ કર્યો હતો. બીજો પ્રોજેક્ટ સચિવાલયમાં સવરનીમ સંકુલ બનાવવાનો હતો.આ પ્રોજેક્ટ 200 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે અને ત્રીજો ડ્રીમ પ્રોજેક્ટ મોદીએ 350 દિવસમાં પૂર્ણ કર્યો છે અને તે સાબરમતી નદીના કિનારે ગિફ્ટ સિટી બનાવવાનો હતો.પ્રધાનમંત્રી મોદીએ સમય એવી જાહેરાત કરી હતી કે ગાંધીનગર ને પણ મેટ્રો ટ્રેન મળશે.

અને ગાંધીનગર સુધી અમદાવાદની બીઆરટીએસ લંબાવવામાં આવશે.આ બંને સપના મોદીએ જોયા હતા પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગાંધીનગરમાં હજી મેટ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ થયું નથી. બીઆરટીએસ નું જોડાણ પણ ગાંધીનગરને મળ્યું નથી.પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા મંદિરની પ્રેરણા નું નામ આપ્યું હતું.

અને સચિવાલયમાં પુરૂષાર્થ કરીને પરિણામ માટે સાબરમતી નદીના કિનારે પંચામૃત ભવન બનાવવાનું હતું જેમાં સરકારે કરેલા કામો ની ઝલક અને મ્યુઝિયમ ઊભું કરવાનું હતું, પરંતુ આ પ્રોજેક્ટને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારે મોકૂફ રાખ્યો હતો, જે ફરી શરૂ થઈ શક્યો નથી.

મોદી નો ત્રીજો પ્રોજેક્ટ રિવરફ્રન્ટનું હતો અને અમદાવાદમાં શરૂ થયેલ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવે.પરંતુસરકારે આ પ્રોજેક્ટ વિલંબમાં નાખી દીધો છે.અમદાવાદના વાસણા થી વાડજ સુધીનો રીવર ફન્ટ બનાવી દેવાયો છે.

પરંતુ તેને ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો નથી.જો તેને લંબાવવામાં આવ્યો હોત તો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિક નિયમ ને રાહત થઇ હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીનો તોડ્યા આ ત્રણ મોટા ભરોસા,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*