માં મોગલની કૃપાથી આ યુવકે રાખેલી માનતા પૂરી થઈ, યુવક 11000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા આવ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 5:27 pm, Tue, 12 July 22

માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. માં મોગલનાં પરચા પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

આ કિસ્સા પરથી તમે પણ કઈ ઉઠશો કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો અવશ્ય માં મોગલ રાજી રાજી થઈ જાય છે. વાત જાણે એમ છે કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ પોતાની માનતા પૂરી કરવા માટે 11000 રૂપિયા લઈને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુક્તિ પોતાની માનતા પૂરી થતાની સાથે જ 11000 રૂપિયા માં મોગલ ચરણી અર્પણ કરવા આવ્યો તેમ કહ્યું. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા એ 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારી બેનને આપજે મા મોગલ રાજી રાજી થઈ જશે.

આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળિયો છે. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી.

એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ એ યુવકને ફળ્યો છે. કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ યુવકે રાખેલી માનતા પૂરી થઈ, યુવક 11000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા આવ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*