સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આવી ગયા મોટા સમાચાર, નવરાત્રી ને લઈને પણ જાહેરાત

Published on: 10:29 am, Mon, 31 August 20

આજે અનલૉક – 3 ની ગાઈડ લાઈન નો સમય પૂરો થતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનલૉક – 4 ની ગાઈડ લાઈન જાહેર કરીને કોરોના ની આ સ્થિતિમાં અનેક છૂટછાટ આપી દીધી છે,જેમાં સ્કૂલ-કોલેજો આગામી 30 સપ્ટેમ્બર સુધી ખોલવાની મંજૂરી આપી નથી,પરંતુ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસેથી મંજુરી પત્ર લઈને સ્કૂલમાં માર્ગદર્શન મેળવવા પોતાના શિક્ષકો પાસે જઈ શકશે, જોકે તેમને માર્ક્સને સેનીટાઇઝર નો ઉપયોગ ચોક્કસથી કરવો પડશે. કોરોના ને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગાડ્યું છે ત્યારે સરકારે થોડી છૂટછાટ આપી દીધી છે.

નવરાત્રી જેવા મોટા તહેવારો ને લઈને પણ સમાચાર આવ્યા છે. સરકારે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં 50 ની જગ્યાએ 100 લોકોને છૂટછાટ આપી દીધી છે, જેથી હવે શેરી ગરબા યોજવાની શક્યતા પૂરેપૂરી છે, જો કે બધાએ માર્ક્સને સેનીટાઇઝર નો ઉપયોગ કરવો ફરજીયાત છે અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન પણ ફરજિયાત છે.

જોકે મહત્વની વાત એ છે કે નવરાત્રી ને લઈને હજી આગામી સમયમાં મહત્વનો નિર્ણય લેવામા આવશે.પરંતુ નવી ગાઇડલાઇન્સ પરથી નક્કી છે કે શેરીગરબા માત્ર 100 લોકોની હાજરીમાં થઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આવી ગયા મોટા સમાચાર, નવરાત્રી ને લઈને પણ જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*