રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર,આ મહિના સુધી મફતમાં આપવામાં આવશે રાશન

રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. કોરોના મહામારીમાં ગરીબોની મદદ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બનાવી છે.તેના હેઠળ 80 કરોડથી વધુ લાભાર્થીઓને સામાન્ય કોટામાં મળતા અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલો વધારાનું અનાજ આપવામાં આવી રહ્યું છે.

સરકાર મુજબ આ યોજના હેઠળ 600 લાખ ટન એટલે કે 6 કરોડ ટન અનાજ મફત વિતરણ માટે ફાળવ્યો છે. કોરોના કહેર ને જોતા સરકારે ગરીબોને આગામી ચાર મહિના એટલે કે નવેમ્બર સુધી મફતમાં રાશન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ ગરીબોને પાંચ કિલો અનાજ મફતમાં આપવામાં આવી રહ્યું છે.

રાશનકાર્ડ અમીર હોય કે ગરીબ તમામ માટે જરૂરી છે. હકીકતમાં હવે તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે પણ કામ કરવામાં આવે છે. સંકટ કાળમાં સરકાર દેશના ગરીબ લોકોને મફતમાં રાસ અને સુવિધા આપી રહી હતી. આ સરકારી કાર્ડનો તમે એડ્રેસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*