મોટા સમાચાર : કોંગ્રેસ સહિતના અનેક પક્ષોને ખેડૂત નેતાઓએ આપી ચેતવણી, કહ્યું કે…

ભારત બંધના એલાનને કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં સોમવારના રોજ રાજકીય પક્ષો ને ખેડૂતોએ ચેતવણી આપી હતી અને ખેડૂતો વતી,રાજકીય પક્ષ ને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રદર્શન દરમિયાન તેમની પાર્ટીના ઝંડા અને બેનરો લાવશે નહિ. દર્શન પાલે કહ્યું હતું કે, ચક્કાજામ બપોરે ૩ વાગ્યા સુધી રહેશે અને શાંતિપૂર્ણ પ્રદર્શન હશે.

અમે મક્કમ છીએ અમે કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને અમારું પ્રદર્શન પ્લેટફોર્મ તરીકે નહીં આપીએ.આજરોજ કૃષિ કાયદાના વિરોધ અંગે ખેડૂત વતી દેશવ્યાપી ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યો છે. આજે ભારત બંધનું એલાન છે.

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. સમર્થન આપનારા પક્ષોને ખેડૂતોએ ચેતવણી આપી દીધી છે કે.

તેઓ તેમના રાજકીય ચિહ્નો કે બેનરો નો ઉપયોગ તેમના પ્રદર્શનમાં કરી શકશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*