ખેડૂતોની મગફળી ખરીદવા અંગે રાજ્યની રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની એક મહત્વની કેબિનેટની મિટિંગ યોજવામાં આવી હતી. આ કેબિનેટ બેઠકમાં અલગ અલગ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવ મગફળી ખરીદવા અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું કે અત્યાર સુધી 4 લાખ 25 હજાર ખેડૂતોને રજીસ્ટ્રેશન કર્યું છે અને ઉલ્લેખનીય છે કે નાફેદ ના ના નિયમ મુજબ ખેડૂતોને મગફળીની ખરીદી થશે.

ઉલ્લેખનીય છે કે, 21 સપ્ટેમ્બરથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે જયેશ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું કે, બારદાન માં 25 કિલો મગફળી ભરાશે ત્યારે આ મામલે રાજ્ય સરકાર વધારાનો ખર્ચ ભોગવશે. બીજી તરફ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું કે લેબર,ટ્રાન્સપોર્ટ અને ગોડાઉનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.ઓનલાઇન સ્ટેશનમાં કોઈ પણ ખેડૂત બાકાત ન રહે તે તમામ તૈયારીઓ સરકારે કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે બારદાનમાં 25 કિલો મગફળી ભરવાથી ખર્ચો ઓછો થશે.આ વખતે વરસાદ માં મગફળી પલળી ગઇ હોવાથી સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.50 કિલો બારદાન માં 25 કિલો મગફળી ખરીદવાના નિર્ણયને પગલે.

વધારાના બારદાન નો ખર્ચો પણ સરકાર ભોગવશે.જોકે રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબવાને ને લઈને સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*