જય શ્રી રામ : અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં પરિક્રમા કરતું જોવા મળ્યું ગરુડ, વીડિયો જોઈ ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા…

21 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરીને લોકો માટે આ ભવ્ય મંદિર ના દરવાજા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. તમામ લોકોની ઈચ્છા છે કે તેઓ અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જાય અને હજારો શ્રદ્ધાળુ અયોધ્યામાં રામ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે

ત્યારે આ મંદિરની અંદર અનેક ચમત્કારો જોવા મળી રહ્યા છે અને આ ચમત્કાર પરથી સાબિત થાય છે કે અયોધ્યાની આ મૂર્તિ ની અંદર સાક્ષાત ભગવાન શ્રી રામ બિરાજમાન છે.અયોધ્યા માં ભગવાન શ્રી રામ મંદિર ની અંદર ગરુડ પરિક્રમા કરતું જોવા મળ્યું હતું

અને તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહે છે કે આ સાક્ષાત ભગવાનનો ચમત્કાર છે. એવી આશંકા હતી કે કોઈ વ્યક્તિએ ચિપ લગાડીને અહીં મોકલ્યું હોઈ શકે છે અને એટલા માટે સુરક્ષા કર્મચારીઓ કલાકો સુધી પક્ષીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા

પરંતુ આશંકા પાયા વિહોણી સાબિત થઈ જ્યારે પક્ષી મોડી રાત્રે પોતાની જાતે બહાર નીકળી ગયું.ત્યાંના પૂજારી સંતોષકુમાર તિવારીએ કહ્યું કે ગરુણ દેવની પ્રજાતિ ગરુડ પક્ષી હતું અને ઉત્તર દ્વારથી મંદિરમાં પ્રવેશી પહેલા ગુંડી મંડપની આસપાસ પરિક્રમા કરી અને પછી તે સીધું પરિક્રમા માટે પહોંચ્યું હતું.ઉપરોક્ત વીડિયો ઇન્સ્ટાગ્રામ પેજ ગુજ્જુરોક્સ પર જોવા મળ્યો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*