અરે બાપ રે..! આંધી વંટોળ સાથે પતરા ઉડવાને લઈને અંબાલાલ કાકાએ કરી ભુક્કા બોલાવતી આગાહી, એકવાર જાણી લેજો પછી કહેતા નહીં…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં એપ્રિલ મહિના દરમિયાન હવામાન કેવું રહી શકે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ભારત તથા ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આંધી વંટોળ સાથે હવામાન રહેવાની સંભાવના છે.

આ સાથે તેમને ભારે પવનના કારણે કાચા મકાનો અને પતરા ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. માર્ચ મહિનાથી ગુજરાત સહિત દેશમાં હીટ વેવ ની વોર્નિંગ અપાય છે ત્યારે આગામી સમયમાં અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી પડવાની અને પારો ઉંચો જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે માર્ચ મહિનાના અંત માં પણ હવામાન પલટો આવવાની શક્યતા છે જેમાં દેશના ઉત્તર પૂર્વના ભાગમાં આંધી વંટોળની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસરોના કારણે હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલે એપ્રિલ ની શરૂઆતમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની તથા આંધી આવવાની સંભાવનાઓ વ્યકત કરી છે.તારીખ 3 થી 5 દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

તારીખ 8 થી 5 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોપની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 16 થી 18 એપ્રિલમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ અસર જોવા મળશે અને 19 થી 20 એપ્રિલ મધ્યપ્રદેશનું હવામાન બદલાશે અને 24 થી 26 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની અંબાલાલ કાકાએ આગાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*