અઢી વર્ષના દીકરાની માતાનો જીવ લઈને મૃતદેહને નદીમાં ફેંકી દીધું, પછી થયો એવો ખુલાસો કે – જાણીને તમે પણ ચોકી જશો..

Published on: 4:08 pm, Thu, 29 September 22

દેશમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ધીમે ધીમે દુનિયા બદલાઈ રહી છે અને લોકો હવે દીકરીઓને ખૂબ જ સન્માન આપી રહ્યા છે. ધીમે ધીમે હવે દહેજ પ્રથા ઓછી થતી જાય છે. પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે જાહેર દહેજ માટે પુત્રવધુનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. ઝાંસીમાં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

મહિલાનું મૃતદેહ તેના ઘરથી 500 મીટર દૂર એક નદીના ફેંકી દેવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાના 17 મહિના પહેલા જ લગ્ન થયા હતા. સમગ્ર ઘટનાને લઈને પિયર પક્ષના લોકોએ સાસરીયા પક્ષ પર જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પોલીસે નદીમાંથી એક મહિલાનું મૃતદેહ બહાર કાઢ્યું હતું.

આ ઘટનાની જાણ મહિલાના પરિવારજનોને થતા પરિવારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ પોતાની દીકરીના પતિ, સાસુ, સસરા સહિત ચાર લોકો સામે દહેજના મામલે જીવ લેવાનો ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર આજરોજ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મહિલાના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર 22 વર્ષીય પૂજા નામની યુવતીના લગ્નના પહેલા બરેઈ ગામના પાલ ડેરામાં રહેતા કમલપાલ સાથે થયા હતા. પૂજાના લગ્નમાં 10 લાખ રૂપિયા નો ખર્ચો થયો હતો. સાસરિયાંઓ દહેજમાં ફોરવીલ માંગતા હતા. લગ્ન થઈ ગયા બાદ ફોરવીલ માટે સાસરીયાઓ પૂજાને ત્રાસ આપતા હતા અને તેનું માનસિક શોષણ કરતાં હતા.

પૂજાને અઢી મહિનાનો દીકરો છે. દસ દિવસ પહેલા તેના સસરા દીકરાને લઈ ગયા હતા. જ્યારે બાળક રડવા લાગે છે ત્યારે પૂજા સસરા પાસેથી પોતાના દીકરાને લઈ લે છે. આ વાત પર ગુસ્સે ભરાયેલા પૂજાના પતિએ બેલ્ટ વડે પૂજાની ધુલાઈ કરી હતી. એટલું જ નહીં પરંતુ પૂજાનો ફોન પણ તેની પાસેથી લઈ લીધો હતો.

ત્યારબાદ પૂજાએ ગમે તેમ કરીને પોતાના પિયરમાં ફોન કરીને આ ઘટનાની જાણ કરી દીધી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પૂજાના પિતા અને સંબંધી 25 સપ્ટેમ્બર ના રોજ પૂજાના સાસરે પહોંચ્યા હતા. ત્યારબાદ પંચાયત થઈ અને બંને પક્ષને સમજાવવામાં આવ્યા.

સમગ્ર ઘટનાને લઈને પૂજાના સાસરીયાઓ એ જણાવ્યું કે પૂજા નદી કિનારે કપડાં ધોવા ગઈ હતી. પરંતુ ત્યારબાદ માહિતી મળી કે સવારે ઝઘડો થયો હતો અને સાસરિયાંઓ એ પૂજાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ મૃતદેહને નદીમાં ફેંકી દીધું હતું. આ ઘટનાની જાણ પિયરના લોકોને થતા તેમને ઘટનાની માહિતી પોલીસને આપી હતી.

ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નદીમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂજાનો જીવ કોને લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાસરિયાંઓએ પૂજાનો જીવ લઈને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અઢી વર્ષના દીકરાની માતાનો જીવ લઈને મૃતદેહને નદીમાં ફેંકી દીધું, પછી થયો એવો ખુલાસો કે – જાણીને તમે પણ ચોકી જશો.."

Leave a comment

Your email address will not be published.


*