અઢી મહિનામાં આખો પરિવાર ખતમ..! સુરતમાં માતા-પિતા અને ભાઈ-બહેનના સુસાઈડ પછી, બચી ગયેલા ભાઈ-બહેન સુસાઈડ કરી લીધું….

Published on: 5:38 pm, Sat, 19 August 23

મિત્રો સુરત શહેરમાં આજથી અઢી મહિના પહેલા એક જ પરિવારના 4 સભ્યોએ સામુહિક સુસાઇડ કરી લીધું હતું. આ ઘટનામાં પરિવારના ચાર સભ્યોના સુસાઇડ બાદ પરિવારમાં ભાઈ અને બહેન બચી ગયા હતા. ત્યારે હવે તે બંને પણ પોતાના વતન સિહોરમાં ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ આખા પથકમાં માતમ છવાઈ ગયો છે.

સામૂહિક આપઘાતમાં પિતા વિનુભાઈ અને પુત્ર ક્રિશનાં મોત થયાં હતાં.

અઢી મહિનામાં એક આખો હસતો ખેલતો પરિવાર બરબાદ થઈ ગયો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતમાં રહેતા બે સગા ભાઈ બહેન લગભગ 8 દિવસ પહેલા પોતાના બા તથા કાકા સાથે ભાવનગર જિલ્લાના સિહોરના પાડપણા ગામે ગયા હતા. બંને ભાઈ બહેનને ઘરે ગઈ કાલે બપોરના સમયે ગમ્યા કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ સમગ્ર શિહોર પથકમાં ચકચાર મચી જવા પામી હતી. અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા ભાઈ બહેનના માતા પિતા તેમજ ભાઈ બહેનને સુસાઇડ કરી લીધું હતું. બંનેને આ આઘાત સહન ન થયો અને બંને એકસાથે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું છે.

સામૂહિક આપઘાતમાં બહેન સેનિતા અને માતા શારદાબેન પણ મોતને ભેટ્યાં હતાં.

સમગ્ર ઘટનાને રહીને વિગતવાર વાત કરે, સુરતમાં રહેતા વિનુભાઈ મોરડીયાએ 8 જૂનના રોજ પોતાની પત્ની શારદા, 19 વર્ષની દીકરી અને 17 વર્ષના દીકરા સાથે સુસાઇડ કરી લીધું હતું. વિનુભાઈને ચાર સંતાનો હતા. આ ઘટના બની ત્યારે અન્ય બે સંતાનો ઘરે હાજર ન હતા, એટલે તેઓ બચી ગયા હતા. બંને ભાઈ બહેનોને પોતાના માતા-પિતા અને ભાઈ બહેનના મોતનો આઘાત સહન થયો ન હતો.

જેથી ગઈકાલે બંને એકસાથે ઝેરી દવા પીને સુસાઇડ કર્યું હતું. મૃત્યુ પામેલી બહેનોનું નામ ઋષિતા મોરડીયા હતું અને મૃત્યુ પામેલા ભાઈનું નામ પાર્થ મોરડીયા હતું. આ ઘટના બનતા જ અઢી મહિનામાં એક આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. વિગતવાર વાત કર્યો હતો વિનોદભાઈ હીરા ઘસતા હતા અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

પરિવાર સુરતમાં વિજયનગરમાં રહેતો હતો.

જ્યારે વિનોદભાઈની બંને દીકરીઓ સાડીના લેસના પટ્ટાનું મશીન ચલાવીને પરિવારને મદદરૂપ બનતી હતી. જ્યારે તેમનો એક દીકરો અભ્યાસ કરતો હતો અને મોટા દીકરાનો કોલેજનો અભ્યાસ બાદ પણ તે કોઈ કામ ધંધો કરતો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોટો દીકરો પાર્થ કમાવા જતો ન હતો. ઉપરાંત વિનોદભાઈના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી. જેથી તેમને પોતાના પરિવાર સાથે સુસાઇડનું પગલું ભરી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અઢી મહિનામાં આખો પરિવાર ખતમ..! સુરતમાં માતા-પિતા અને ભાઈ-બહેનના સુસાઈડ પછી, બચી ગયેલા ભાઈ-બહેન સુસાઈડ કરી લીધું…."

Leave a comment

Your email address will not be published.


*