11 તોલાના સોનાના દાગીના ખોવાઈ જતા આ વ્યક્તિએ માની માં મોગલની માનતા… થોડાક જ દિવસોમાં એવો ચમત્કાર થયો કે…

Published on: 6:15 pm, Mon, 11 December 23

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે માં મોગલના પરચા અપરંપાર છે. તમે સૌ કોઈ લોકો એ કબરાઉ માં બેઠેલી માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. અહીં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આટલા જ માટે માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે.

માં મોગલ ના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. જો માં મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એક ભાઈના ઘરેથી અચાનક જ 11 તોલાના સોનાના દાગીના ગુમ થઈ ગયા હતા. પરિવારના સભ્યોએ સોનાના દાગીના ગોતવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ કોઈને દાગીના મળ્યા નહીં. અંતે પરિવારે મા મોગલ પર વિશ્વાસ રાખીને માતાજીની માનતા માની અને કહ્યું કે જો તેમના સોનાના દાગીના મળી જશે.

તેઓ માં મોગલમાં ચરણમાં 30,000 રૂપિયા અર્પણ કરશે. માનતા માની અને તેના થોડાક જ દિવસોમાં પરિવારના સભ્યોને માં મોગલના આશીર્વાદથી 11 તોલાના સોનાના દાગીના મળી ગયા. સોનાના દાગીના મળી જતા જ પરિવારના સભ્યો રાજીના રેડ થઈ ગયા હતા અને તેમના ખુશીનો પાર ન રહ્યો.

ત્યારબાદ પરિવારના સભ્યો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા. અહીં તેમને માં મોગલ ના આશીર્વાદ લીધા હતા. પછી અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે તમારે શેની માનતા હતી. ત્યારે પરિવારના સભ્યોએ જવાબ આપતા કહ્યું કે તેમના સોનાના દાગીના ખોવાઈ ગયા હતા, તે મળી ગયા છે એટલે માં મોગલના ચરણમાં 30,000 રૂપિયા ચડાવવાની માનતા હતી.

ત્યારબાદ મણીધર બાપુએ તેમની પાસેથી 30 હજાર રૂપિયા લઈ લીધા પછી તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તેમને પરત આપી દીધા. પછી પરિવારના સભ્યોને કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી. પરંતુ માં મોગલ પ્રત્યે તમારો વિશ્વાસ અને પ્રેમ છે. આ પૈસા તારી દીકરીઓને આપી દેજે એટલે માં મોગલ રાજી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "11 તોલાના સોનાના દાગીના ખોવાઈ જતા આ વ્યક્તિએ માની માં મોગલની માનતા… થોડાક જ દિવસોમાં એવો ચમત્કાર થયો કે…"

Leave a comment

Your email address will not be published.


*