ખંભાળા-જામનગર હાઇવે પર ટ્રક અને બુલેટ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, બુલેટ ચાલકનું મૃત્યુ…

Published on: 6:14 pm, Mon, 13 September 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ખંભાળિયા અને જામનગર હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ખંભાળીયા જામનગર હાઈવે ઉપર શનિવારના રોજ બુલેટ અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતું. મળતી માહિતી મુજબ અકસ્માતમાં બુલેટ ચાલકનું મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ખંભાળિયા તાલુકાના ગામમાં રહેતા 39 વર્ષીય રાજશીભાઈ ચાવડા નામના વ્યક્તિ રાત્રે નવ વાગ્યાની આસપાસ પોતાનું GJ 39 H 9463 નંબર નું બુલેટ લઈને જઈ રહ્યા હતા.

ત્યારે તેઓએ રોંગ સાઈડમાં પોતાના બુલેટની ચલાવજો ત્યારે માર્ગ પર જતા એક ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ ટક્કરમાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ટ્રકચાલકે આ સમગ્ર ઘટનાને લઇને બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખંભાળા-જામનગર હાઇવે પર ટ્રક અને બુલેટ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, બુલેટ ચાલકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*