પડધરીના ખોડાપીપર ગામમાં પ્રાથમિક શાળાના એક શિક્ષક ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે ભર્યું આ પગલું…

Published on: 10:20 am, Wed, 24 November 21

રાજકોટ જિલ્લાના પડધરીના ખોડાપીપર ગામમાં રહેતા પ્રાથમિક શાળાના એક શિક્ષક ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર શિક્ષકને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન શિક્ષકનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ખાતે રહેતા 40 વર્ષીય રાજેશભાઈ પીતાબરભાઈ ગોરસદીયા નામના યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર રાજેશ એ પોતાની બીમારીથી કંટાળીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જ્યારે રાજેશે ઝેરી દવા પીધી ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર રાજેશ મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પણ ઘર પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની હતું અને ત્યારબાદ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાન ટંકારા તાલુકાના બગાવડી પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પિતાના મૃત્યુના કારણે બંને બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર પોતાની બીમારીથી કંટાળીને રાજેશ એ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું પ્રાથમિક તપાસમાં આવું કારણ સામે આવ્યું છે. શિક્ષક ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પડધરીના ખોડાપીપર ગામમાં પ્રાથમિક શાળાના એક શિક્ષક ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે ભર્યું આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*