રામદેવરા દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 લોકોના મોત…’ઓમ શાંતિ’

Published on: 12:29 pm, Mon, 12 June 23

Jaisalmer accident, Ramdevara: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માત(Jaisalmer accident)ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત(4 people died) થયા છે. જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત આટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોનું તો હૈયુ કંપની ઉઠ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના જેસલમેર માંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનાનો ભોગ બનેલા લોકો જેસલમેરના રામદેવરાની મુલાકાત લઈને કુડી ભગતસાની વિસ્તારમાં પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ મોડી રાત્રે બની હતી.

રાત્રિના સમયે એક કાર કન્ટેનર સાથે અથડાઈ હતી જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રામુરામ નામના વ્યક્તિની પત્ની, દીકરો, બહેન અને પડોશીનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે અન્ય સાત લોકો ઉજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે એમડીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો પોતાના સંબંધીઓ અને પડોશીઓ સાથે રામદેવરા દર્શન કરવા માટે ગયા હતા. શનિવારના રોજ તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે. ત્યારે કાર સામેથી આવી રહેલા ઓઇલ ટેન્કર સાથે અથડાઈ હતી.

અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામદેવરા દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 લોકોના મોત…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*