ખાટુશ્યામજીના દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… 6 લોકોના દર્દનાક મોત… રોડ પર લાશનો ઢગલો થઈ ગયો…

Published on: 11:53 am, Mon, 11 September 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બે બળદોના કારણે બસ અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત આટલો ભયંકર હતો કે આ ઘટનામાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી.

જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર લોકો ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનના ભરતપુર માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 32 વર્ષીય હરેન્દ્રસિંહ, તેમની 30 વર્ષીય પત્ની મમતા, 6 વર્ષની દીકરી જાનવી, 37 વર્ષીય સાઢુ સંતોષ, સંતોષની પત્ની સુધા અને તેના 5 વર્ષના દીકરા અર્જુનનું મોત થયું છે.

આ ઘટના બનતા બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં હરેન્દ્રાની 16 વર્ષની દીકરી અને એક વર્ષના દીકરાનો અને સંતોષના 15 વર્ષનો દીકરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, હરેન્દ્ર અને સંતોષનો પરિવાર 9 સપ્ટેમ્બર ના રોજ રાત્રે ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે ગયો હતો.

રવિવારના રોજ તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હરેન્દ્ર કાર ચલાવી રહ્યું હતું. ત્યારે હાઇવે પર અચાનક જ બે આખલાઓ રસ્તા પર આવી ગયા હતા. જેના કારણે કારચાલક હરેન્દ્ર અને એક બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે કાર અને બસ સામસામે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર છ લોકોના મોત થયા હતા. જ્યારે બંને આખલાઓના પણ અકસ્માતમાં મોત થયા હતા. અકસ્માત આટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસો ગુંજી ઉઠ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાટુશ્યામજીના દર્શન કરીને ઘરે જતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… 6 લોકોના દર્દનાક મોત… રોડ પર લાશનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*