ચોટીલા દર્શન કરવા જતી કારનું ટાયર ફાટતાં બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત – 1 વ્યક્તિનું મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત….

Published on: 2:52 pm, Wed, 22 December 21

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ચોકડી પાસે આજરોજ સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. કા અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયું હતું. મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી ભુખી ચોકડી નજીક ચોટીલા દર્શન કરવા જતી એક કારનું ટાયર ફાટ્યું હતું તેના કારણે તે કાર બીજી કાર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં આંબરડી ગામના 48 વર્ષીય દિનેશભાઈ હંસરાજભાઈ પરમાર નું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માત બન્યો ત્યારે દિનેશભાઈ ને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ રસ્તામાં જ તેમને દમ તોડયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સેજલબેન દિનેશભાઇ પરમાર અને દિપ્તીબેન નિલેશભાઈ નકુમને અકસ્માતમાં નાની-મોટી ઇજા પહોંચી હતી.

તેઓને આસપાસના લોકો દ્વારા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પરિવારજનો આંબરડી ગામ થી ચોટીલા દર્શન કરવા માટે જતા હતા ત્યારે ધોરાજી નજીક તેમની કાર અચાનક ટાયર ફાટ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોટીલા દર્શન કરવા જતી કારનું ટાયર ફાટતાં બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત – 1 વ્યક્તિનું મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…."

Leave a comment

Your email address will not be published.


*