સુરત થી વડોદરા જતી કાર બેકાબુ થતા ઝાડ સાથે અથડાઈ, અકસ્માતમાં એકનું મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતથી વડોદરા તરફ જતી એક કારનું અકસ્માત થયું છે.

મળતી માહિતી મુજબ કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં કાળનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતના પગલે કાર ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ કારની અંદર ફસાઈ ગયા હતા.

અકસ્માતની ખબર પડતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઇને પોલીસ અને 108ને જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ 108 અને સ્થાનિક લોકો દ્વારા કારમાં ફસાયેલા ડ્રાઇવર અને અન્ય એક યુવતીને બહાર કાઢવામાં આવ્યો હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું.

ઉપરાંત ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*