સુરતમાં 72 વર્ષીય નિવૃત્ત ASIએ એસિડ પીને સુસાઈડ કરી લીધું… જાણો સુસાઈડ પાછળનું કારણ…

Published on: 4:16 pm, Tue, 26 September 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત ASIએ એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, નિવૃત ASIએ બીમારીથી કંટાળીને સુસાઇડ કર્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કફ સહિતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.

સુસાઇડ કરનાર નિવૃત્ત ASIનું નામ પ્રહલાદ ભીખા પાનપાટીલ હતું અને તેમની ઉંમર 72 વર્ષની હતી. તેઓ ડીંડોલી વિસ્તારમાં શાયર રેસીડેન્સીમાં રહેતા હતા. તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. પરંતુ તેમને છેલ્લા ઘણા સમયથી કફ સહિતની અનેક સમસ્યાઓ હતી અને તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા હતા.

બીમારીથી કંટાળીને તેમને ગત 21 તારીખના રોજ પોતાના ઘરમાં પડેલું એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં રવિવારના રોજ સાંજે સારવાર દરમિયાન તેમને પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

ઘટનાની માહિતી મળતા ડીંડોલી પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. તમને જણાવી દે કે પ્રહલાદભાઈ ને સંતાનમાં બે દીકરાઓ અને બે દીકરીઓ છે. આ ઘટના બનતા જ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 72 વર્ષીય નિવૃત્ત ASIએ એસિડ પીને સુસાઈડ કરી લીધું… જાણો સુસાઈડ પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*