સુરતમાં 28 વર્ષના યુવકનું અચાનક જ પ્રાણપંખેરૂ ઉડી ગયું… પરિવારના સભ્યોનું હૈયાફાટ રુદન…

Published on: 12:08 pm, Sun, 7 January 24

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના ઘણા યુવાનોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

સુરતના પાંડેસરામાં 28 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. વડોદ ગામમાં રહેતા રવિ નામના યુવકને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો.

ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં રવિને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે રવિને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં શું આવી ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે, રવિને અચાનક જ ગભરામણ થવા લાગી હતી એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ અહીં હાજર ડોક્ટરે રવિની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતમાં 28 વર્ષના યુવકનું અચાનક જ પ્રાણપંખેરૂ ઉડી ગયું… પરિવારના સભ્યોનું હૈયાફાટ રુદન…"

Leave a comment

Your email address will not be published.


*