રાજકોટમાં મંગેતરના ત્રાસથી કંટાળીને 24 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 11:55 am, Sat, 12 August 23

રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નર્સનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ-જામનગર રોડ પર મોરબી હાઉસ સામે ક્વાર્ટર માં ગળાફાંસો ખાધો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી યુવતી ના પિતા ની ફરિયાદ પરથી ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, મારે સંતાનોમાં બે દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. સૌથી મોટી દીકરી છાયા જે અપરિણિત છે અને તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. છાયા રાજકોટના મોરબી હાઉસ પ્યુન કવાર્ટરમાં રહે છે. છાયાની સાથે મારી 24 વર્ષની દીકરી અસ્મિતા પણ રહે છે. અસ્મિતા સોઢા કોલેજમાં GNMનો કોર્સ કરતી હતી.

અસ્મિતાની સગાઈ બે વર્ષ પહેલાં સિધ્ધરાજ નામના વ્યક્તિ સાથે થઈ હતી. સિધ્ધરાજ વડોદરામાં બેંકમાં નોકરી કરતો હતો. જેના કારણે સિધ્ધરાજ વધુ પડતો તેના ભાભી સાથે રહેતો હતો. આ કારણોસર મારી દીકરી અસ્મિતા અને તેના મંગેતર સિધ્ધરાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાઓથી ફોન પર તકરારો ચાલી રહી હતી. આ બાબતે અસ્મિતા એ મને પણ વાત કરી હતી. 15-20 દિવસ પહેલા મેં સિધ્ધરાજ ને પૂછ્યું હતું કે તું આવું શા માટે કરે છો? તમારે બંનેને બનતું ન હોય તો છુટા થઈ જાવ. ત્યારે સિધ્ધરાજ એ મને કહ્યું હતું કે હું મારા માતા-પિતાને પૂછીને જવાબ આપીશ.

વધુમાં અસ્મિતાના પિતાએ જણાવ્યું કે, આ બાબતે મેં મારા વેવાઈ અરવિંદભાઈ ને પણ વાત કરી હતી પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં. મારી દીકરીને સગાઈ તોડવી ન હતી અને આઠ તારીખના રોજ મેં મારી દીકરી અસ્મિતાને રાતે ફોન કરીને પૂછેલું કે જમાઈનો કાંઈ ફોન આવ્યો છે કે નહીં? ત્યારે મારી દીકરી એ મને કહ્યું હતું કે ક્યારેક આવે છે. પણ તે એવું કહે છે કે “હું ગમે તે કરું તારે મને પૂછવાનું નહીં, હું ગમે ત્યારે સગાઈ તોડી નાખીશ તેમ કહીને મને ટોચર કરે છે” આ વાત અસ્મિતા એ મને કરેલી ત્યારબાદ અમારા બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાત થઈ ન હતી.

અસ્મિતા ના પિતાએ વધુમાં જણાવ્યું કે, 9 તારીખ ના રોજ મેં મારી દીકરીને ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉપાડ્યો નહીં એટલે મેં તેના મિત્રોને ફોન લગાડ્યો હતો, પરંતુ તે લોકોએ પણ કહ્યું કે અસ્મિતાનો ફોન લાગતો નથી. જેથી મને એમ થયું કે દીકરી કોલેજ જતી રહી હશે. ત્યાર પછી મેં એક દોઢ વાગ્યાની આસપાસ અસ્મિતાના પાડોશીઓ પાસેથી સમાચાર મેળવ્યા હતા કે અસ્મિતાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.

ત્યારબાદ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગત રવિવારના રોજ સિદ્ધરાજની બહેન તેના એક મિત્ર સાથે અસ્મિતા પાસે પહોંચી હતી. ત્યારબાદ અસ્મિતાને ધમકાવી હતી કે તારા પિતા સગાઈ નહીં તોડે તો તેનો જીવ લઈ લઈશું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં મંગેતરના ત્રાસથી કંટાળીને 24 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*