આ મહિલા સોનાના પગલાં, સાડી અને શણગાર લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચી…મણીધર બાપુએ મહિલાને કંઈક એવું કીધું કે…

માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલ એ પોતાના ચરણમાં આવતા લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલનું નામ લેવાથી માત્ર ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. આટલા જ માટે લોકો દેશ વિદેશથી પોતાની માનેલી માનતા પૂરી કરવા માં મોગલના ચરણમાં આવે છે.

તમે કબરાઉમાં બેઠેલી માં મોગલના ઘણા બધા પરચાઓ વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક મહિલા પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉધામ આવી પહોંચી હતી.

અહીં મહિલાએ માં મોગલના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મહિલા માં મોગલને અર્પણ કરવા માટે સોનાના પગલા, માતાજીની સાડી અને શણગાર લઈને અહીં આવી હતી.

ત્યાર પછી મણીધર બાપુ આ બધી વસ્તુ મહિલા પાસેથી લઈ લે છે. પછી તેને કહે છે કે બેટા આ સોનાના પગલાં, તારા સાડી તારી અને આ શણગાર તારો આ માં મોગલે તને આપ્યુ. પછી મણીધર બાપુ માં મોગલની જય બોલાવે છે.

મિત્રો મણીધર બાપુનું કહેવું છે કે, માં મોગલ કોઈ પણ પ્રકારના દાન કે ભેટની ભૂખી નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂકી છે. જો માં મોગલ પર સાચા મનથી શ્રદ્ધા અને આસ્થા રાખો તો માતાજી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*