સુરત શહેરમાં 500 કરોડના ખર્ચે બનશે વિશાળ સરદારધામ,કરોડો રૂપિયા પાટીદારોએ દિલ ખોલીને દાન કર્યા…

સુરતના અંત્રોલી ખાતે મિત્રો સરદાર ધામનું ભૂમિ પૂજન કાર્યક્રમ થોડા દિવસ અગાઉ યોજાયો હતો જેમાં લગભગ 500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈને પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કામરેજ તાલુકાના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા

અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજનમાં ઘણા બધા નામે અનામી મોટા મોટા દાતાઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં સરદારધામ તૈયાર કરવા માટે લાખો કરોડો રૂપિયાનું દાન આપનાર દાનવીરોનું પણ મંચ ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સરદારધામ 31 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર આધુનિક આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને તેમાં લગભગ 500 કરોડનો ખર્ચો થશે જેમાં 2000 દીકરા દીકરીઓ માટે છાત્રાલય ઉપરાંત સિવિલ સર્વિસ કેન્દ્ર અને જ્યુદીશરી તેમજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તેમજ ડિફેન્સ એકેડમી તેમજ સ્કીલ ડેવલપમેન્ટ તેમજ વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*