નૈનીતાલ જવા માટે નીકળેલા એક પતિ-પત્નીનું થયું રસ્તામાં અકસ્માત, કાર બેકાબૂ થતા…

Published on: 12:34 pm, Thu, 12 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા માં ખૂબ જ વધારો થઇ રહ્યો છે ત્યારે ઉત્તરાખંડના નૈનિતાલમાં એક અકસ્માત થયું હતું. મળતી માહિતી મુજબ ઉધમસિંહ જિલ્લાના નાનકમતા વિસ્તારમાંથી નૈનીતાલ ની મુલાકાતે આવેલા પતિ-પત્નીની ટેક્સી બેકાબૂ થતા ઊંડી ખાણમાં પલટી મારી ગઇ હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ટેક્સી મુસાફરી કરતા પતિ પત્ની નું મૃત્યુ થયું હતું. પોલીસ ની જાણકારી અનુસાર આ સમગ્ર ઘટના બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી મુજબ ટેક્સી નંબર UK 06 BA 4993 ની ટેક્સી નૈનીતાલ રોડ અકસ્માતમાં ખાણમાં પલટી ખાધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસનું કહેવું છે કે પોલીસ ટીમ દ્વારા ઘટનાસ્થળે મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા બંને મૃતદેહને પંચનામા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃત્યુ પામેલા બંને વ્યક્તિ ની ઓળખ તેમની પાસેથી મળી આવેલા આઈડી પ્રૂફ માંથી થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નૈનીતાલ જવા માટે નીકળેલા એક પતિ-પત્નીનું થયું રસ્તામાં અકસ્માત, કાર બેકાબૂ થતા…"

Leave a comment

Your email address will not be published.


*