કોરોનાની મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે ખાધતેલો ના ભાવમાં પણ દિવસે દિવસે વધારો થતાં સામાન્ય જનતા પરેશાન હતી. પરંતુ હવે સામાન્ય જનતાને ખાધતેલના મોંઘા ભાવના લઈને મળશે રાહત.
દેશમાં સ્થાનિક બજારોમાં ખાધતેલમાં ભાવ ઘટે તે માટે દેશની કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય લઈ શકે છે. દેશમાં સતત ખાધતેલના ભાવ વધારાના કારણે કેન્દ્ર સરકાર પર લાગતા આયાત જકાતને ઘટાડવા અંગેની વિચારણા કરી શકે છે. જેના કારણે દેશની જનતાને ખાધતેલ સસ્તુ મળે તેવી શક્યતા છે.
દેશમાં કોરોના ની મારી ના કારણે ખાધતેલના ભાવ માં કુલ વપરાશ કરતાં ઘટાડો જોવા મળ્યો હતો. છતાં પણ દેશમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રો અનુસાર જો આયાત કરતા દેશોમાંથી ખાધતેલની આયાત પર જકાસ ઘટે તો દેશમાં પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
આ ઉપરાંત તેલીબીયા, સરસવ, સોયાબીન અને મગફળી ની કિંમત નીચે આવી છે. ખાધતેલોની આયાત પર જ ઘટાડવા ની પ્રસ્તાવના હજુ સુધી સમક્ષ આ હેઠળ છે.
આ તમામ મુદ્દે આ મહિનાની અંતમાં આખરી નિર્ણય આવી શકે છે. હાલમાં ભારતમાં પામ તેલની આયાત પર 32.5 ટકા જકાત વસૂલે છે. આ ઉપરાંત સોયા તેલમાં 35 ટકા જકાત વસૂલવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "મોદી સરકાર લઈ શકે છે ખાધતેલના ભાવને લઇને મહત્વના નિર્ણય, લોકોને મળશે રાહત…"