દેશમાં RBIએ વ્યાજદરને લઈને લીધા મહત્વના નિર્ણય, જાણો શું થશે અસર…

Published on: 11:16 am, Fri, 4 June 21

દેશમાં આજે આરબીઆઇ દ્વારા ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવી. આ પોલિસી ની ઘોષણા આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસે કરી છે. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર એ જણાવ્યું કે મોનિટર પોલિસીને એકમતથી એ નક્કી કરવામાં આવી છે. આ પોલિસીમાં વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત રીઝલ્ટ રેપોરેટ 3.5 ટકા અને રેપો રેટ 4 ટકા રહેશે આ રેટ માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત બીજા અન્ય કોઈપણ પોલીસીમાં ફેરફાર કરવામાં આવશે નહીં તેના કારણે લોન ધારકો માટે ઇએમઆઈ ઉપર કોઈપણ પ્રકારની અસર પડશે નહીં.

રિઝર્વ બેન્કના ગવર્નર નું જણાવ્યું છે કે 2021 માં યોજાયેલી MPCની લાસ્ટ બેઠકમાં દરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત છઠ્ઠી વખત તથા બેઠકમાં RBI એ દરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેન્કના ગવર્નર નું કહેવું છે કે આ વર્ષે કન્ઝુમર પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત 5.1 ટકા રહે છે.

જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે કોરોનાની મહામારી ના કારણે દેશમાં મોંઘવારી રે ઉદ્ભવી છે. તેના કારણે આરબીઆઇ દ્વારા દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો. આરબીઆઈએ કહ્યું કે મોનિટર પોલિસીની નિર્ધારણ માઇક્રો ઇકોનોમિક્સ સ્થિતિની નિર્ધારિત લક્ષ્ય ની અંદર રહેવા પર નિર્ભર રહેશે.

સરકારે નાણાકીય જીડીપીના આંકડા તાજેતરમાં જ જારી કર્યા છે. દેશની GDP જોયો તો 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના કારણે આરબીઆઇ દેશની પ્રજાના હિત દરોમાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં RBIએ વ્યાજદરને લઈને લીધા મહત્વના નિર્ણય, જાણો શું થશે અસર…"

Leave a comment

Your email address will not be published.


*